સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન સ્ટોલની મુલાકાત લેતા ગુજરાત રાજયના આદરણીય શિક્ષણમંત્રીશ્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયાજી

ગુજરાત રાજયના આદરણીય શિક્ષણમંત્રીશ્રી (રાજયકક્ષા) પ્રફુલભાઈ પાનશેરીયાજી એ સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન સ્ટોલની મુલાકાત લીધી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ શિક્ષણમંત્રીશ્રીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણીક, સંશોધનાત્મક અને સામાજીક પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી.

શિક્ષણમંત્રીશ્રી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.


Published by: Office of the Vice Chancellor

24-04-2023